About Us

  • શિક્ષણ વિભાગના તા.૧૧/૦૨/૨૦૧૧ના જાહેરનામાથી બિન સરકારી અનુદાનિત શાળાઓ માટે “ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શૈક્ષણિક સ્ટાફની ભરતી માટેની પસંદગી સમિતી” ની રચના થયેલ છે.
  • આ સમિતિના સભ્યો નીચે મુજબ છે.
  • નિયામક, શાળાઓની કચેરી, ગાંધીનગર - અધ્યક્ષ, હોદ્દાની રૂએ
  • ઉપાધ્યક્ષ, ગુજરાત મા. અને ઉ.મા. શિક્ષણ બોર્ડ, ગાંધીનગર- સભ્ય
  • સરકારે નિયુક્ત કરવાના નાયબ સચિવશ્રીથી નીચલા દરજ્જાના ન હોય તેવા સિનિયર સરકારી અધિકારી- સભ્ય
  • સરકારે નિયુક્ત કરવાના બે નામાંકિત શિક્ષણશાસ્ત્રી- સભ્ય
  • સરકારે નામનિયુક્ત કરવાના શાળા સંચાલનના માન્ય એસોસિએશનના એક પ્રતિનિધિ - સભ્ય
  • સંયુક્ત શિક્ષણ નિયામક, ગુ.રા.,ગાંધીનગર- સભ્ય અને સભ્ય સચિવ
  • પસંદગી સમિતિના કાર્યો:-
  • જેના માટે ભરતી કરવાની હોય તેવી શિક્ષકોની જગ્યાની સંખ્યા જિલ્લા શિક્ષણાધિકારીઓ પાસેથી નક્કી કરવી જોઈએ. તેમ છતાં, જિલ્લા શિક્ષણાધિકારીઓએ શિક્ષકોની ખાલી જગ્યા ભરવા માટે માંગ-પત્ર ભરવુ અનિવાર્ય રહેશે.
  • રાજ્યમાં બહોળો ફેલાવો ધરાવતા ગુજરાતી અને અંગ્રેજી વર્તમાનપત્રોમાં જાહેરાત દ્વારા અરજીઓ મંગાવવી જોઈશે.
  • મળેલી અરજીઓની ચકાસણી કરવી જોઈશે.
  • સંબંધિત જીલ્લા શિક્ષણાધિકારીશ્રીને અને સંબંધિત શાળાઓના સંચાલક મંડળને નિમણુક માટે પસંદ થયેલા ઉમેદવારોના નામની ભલામણ કરવી જોઈશે.
  • ભલામણોનું રેકર્ડ નિભાવવું જોઈશે.
  • શિક્ષણ વિભાગમાં તેના દ્વારા હાથ ધરાયેલી પ્રવૃતિઓનો વાર્ષિક અહેવાલ સરકારને રજુ કરવો જોઈશે.
  • સરકાર દ્વારા વખતો-વખત, તેને સોંપવામાં આવે તેવા બીજા કાર્યો માટે જવાબદાર રહેવું જોઈશે.
  • પસંદગી સમિતિએ અરજીઓની ચકાસણી કરવી જોઈશે. અને આવી ચકાસણી માટે સમિતિ પોતે યોગ્ય ગણે તેવી કાર્યરીતી અપનાવી શકશે.